Tuesday, April 26, 2016

~स्वास्थ्य दोहावली~

बहुकालीन प्राचीन .........

~~~~~~स्वास्थ्य दोहावली~~~~~~~

पानी में गुड डालिए, बित जाए जब रात!
सुबह छानकर पीजिए, अच्छे हों हालात!!

धनिया की पत्ती मसल,बूंद नैन में डार!
दुखती अँखियां ठीक हों,पल लागे दो-चार!!

ऊर्जा मिलती है बहुत,पिएं गुनगुना नीर!
कब्ज खतम हो, पेट की मिट जाए हर पीर!!

प्रातः काल पानी पिएं, घूंट-घूंट कर आप!
बस दो-तीन गिलास है, हर औषधि का बाप!!

ठंडा पानी पियो मत, करता क्रूर प्रहार!
करे हाजमे का सदा, ये तो बंटाढार!!

सूर्य किरण, प्राकृतिक हवा, भोजन से स्पर्श!
हेल्थ बनावें आपका, पग-पग देवें हर्ष !!

भोजन करें धरती पर, अल्थी पल्थी मार!
चबा-चबा कर खाइए, वैद्य न झांकें द्वार!!

प्रातः काल फल रस लो, दुपहर लस्सी-छांस!
सदा रात में दूध पी, सभी रोग का नाश!!

दही उडद की दाल सँग, प्याज दूध के संग!
जो खाएं इक साथ में, जीवन हो बदरंग!!

प्रातः -दोपहर लीजिये, जब नियमित आहार!                                                  

तीस मिनट की नींद लो, रोग न आवें द्वार!!

भोजन करके रात में, घूमें कदम हजार!
डाक्टर, ओझा, वैद्य का , लुट जाए व्यापार !!

देश, भेष, मौसम यथा, हो जैसा परिवेश!
वैसा भोजन कीजिये, कहते सखा सुरेश!!

इन बातों को मान कर, जो करता उत्कर्ष!
जीवन में पग-पग मिले, उस प्राणी को हर्ष!!

घूट-घूट पानी पियो, रह तनाव से दूर!
एसिडिटी, या मोटापा, होवें चकनाचूर!!

अर्थराइज या हार्निया, अपेंडिक्स का त्रास!
पानी पीजै बैठकर,  कभी न आवें पास!!

रक्तचाप बढने लगे, तब मत सोचो भाय!
सौगंध राम की खाइ के, तुरत छोड दो चाय!!

सुबह खाइये कुवंर-सा, दुपहर यथा नरेश!
भोजन लीजै रात में, जैसे रंक सुरेश!!

देर रात तक जागना, रोगों का जंजाल!
अपच, आंख के रोग सँग, तन भी रहे निढाल!!

टूथपेस्ट-ब्रश छोडकर, हर दिन दोनो जून!
दांत करें मजबूत यदि, करिएगा दातून!!

हल्दी तुरत लगाइए, अगर काट ले श्वान!
खतम करे ये जहर को, कह गए कवि सुजान!!

मिश्री, गुड, शहद, ये हैं गुण की खान!
पर सफेद शक्कर सखा, समझो जहर समान!!

चुंबक का उपयोग कर, ये है दवा सटीक!
हड्डी टूटी हो अगर, अल्प समय में ठीक!!

दर्द, घाव, फोडा, चुभन, सूजन, चोट पिराइ!
बीस मिनट चुंबक धरौ, पिरवा जाइ हेराइ!!

हँसना, रोना, छींकना, भूख, प्यास या प्यार!
क्रोध, जम्हाई रोकना, समझो बंटाढार!!

सत्तर रोगों कोे करे, चूना हमसे दूर!
दूर करे ये बाझपन, सुस्ती अपच हुजूर!!

यदि सरसों के तेल में, पग नाखून डुबाय!
खुजली, लाली, जलन सब, नैनों से गुमि जाय!!

आलू का रस अरु शहद, हल्दी पीस लगाव!
अल्प समय में ठीक हों, जलन, फँफोले, घाव!!

भोजन करके जोहिए, केवल घंटा डेढ!
पानी इसके बाद पी, ये औषधि का पेड!!

जो भोजन के साथ ही ,पीता रहता नीर!
रोग एक सौ तीन हों, फुट जाए तकदीर!!

पानी करके गुनगुना, मेथी देव भिगाय!
सुबह चबाकर नीर पी, रक्तचाप सुधराय!!

मूंगफली, तिल, नारियल, घी सरसों का तेल!
यही खाइए नहीं तो, हार्ट समझिए फेल!!

पहला स्थान सेंधा नमक, काला नमक सु जान!
श्वेत नमक है सागरी, ये है जहर समान!!

मैदे से बिस्कुट बने, रोके हर उत्कर्ष!
इसे न खावें रोक जो, हुए न चौदह वर्ष ।।

तेल वनस्पति खाइके, चर्बी लियो बढाइ!
घेरा कोलेस्टरॉल तो, आज रहे चिल्लाइ!!

जो अल्यूमिन के पात्र का, करता है उपयोग!
आमंत्रित करता सदा ,वह अडतालीस रोग!!

फल या मीठा खाइके, तुरत न पीजै नीर!
ये सब छोटी आंत में, बनते विषधर तीर!!

चोकर खाने से सदा, बढती तन की शक्ति!
गेहूँ मोटा पीसिए, दिल में बढे विरक्ति!!

नींबू पानी का सदा, करता जो उपयोग!
पास नहीं आते कभी, यकृति-आंत के रोग!!

दूषित पानी जो पिए, बिगडे उसका पेट!
ऐसे जल को समझिए, सौ रोगों का गेट!!

रोज मुलहठी चूसिए, कफ बाहर आ जाय!
बने सुरीला कंठ भी, सबको लगत सुहाय!!

भोजन करके खाइए, सौंफ, और गुड, पान!
पत्थर भी पच जायगा, जानै सकल जहान!!

लौकी का रस पीजिए, चोकर युक्त पिसान!
तुलसी, गुड, सेंधा नमक, हृदय रोग निदान!!

हृदय रोग, खांसी और आंव करें बदनाम!
दो अनार खाएं सदा, बनते बिगडे काम!!

चैत्र माह में नीम की, पत्ती हर दिन खावे !
ज्वर, डेंगू या मलेरिया, बारह मील भगावे !!

सौ वर्षों तक वह जिए, लेत नाक से सांस!
अल्पकाल जीवें, करें, मुंह से श्वासोच्छ्वास!!

मूली खाओ हर दिवस, करे रोग का नाश!
गैस और पाईल्स का, मिट जाए संत्रास!!

जब भी लघु शंका करें, खडे रहे यदि यार!
इससे हड्डी रीढ की, होती है बेकार!!

सितम, गर्म जल से कभी, करिये मत स्नान!
घट जाता है आत्मबल, नैनन को नुकसान!!

हृदय रोग से आपको, बचना है श्रीमान!
सुरा, चाय या कोल्ड्रिंक, का मत करिए पान!!

अगर नहावें गरम जल, तन-मन हो कमजोर!
नयन ज्योति कमजोर हो, शक्ति घटे चहुंओर!!

तुलसी का पत्ता करें, यदि हरदम उपयोग!
मिट जाते हर उम्र में, तन के सारे रोग!!

मछली के संग दूध या, दूध-चाय, नमकीन!
चर्म रोग के साथ में, रोग बुलाते तीन!!

बर्गर, गुटखा, सुरा अरु कोक, सुअर का मांस!
जो हरदम सेवन करे, बने गले का फाँस!!

Sunday, April 24, 2016

બોધિદુર્લભ ભાવના- મહેન્દ્ર પુનાતર

મનુષ્ય જીવન દુર્લભ: સ્વયંને જાણ્યા વગર સિદ્ધિ નથી

જીવનમાં આપણને જે કાંઇ મળ્યું છે તેનો બોધ થવો જોઇએ. આપણા દુ:ખનું મુખ્ય કારણ એ છે કે જે મળ્યું છે તેમાં સંતોષ નથી અને જે નથી મળ્યું તે આંખમાં કણાની માફક ખટકે છે. ભવિષ્યના સુખની કલ્પના અને જે નથી મળ્યું તેના વલોપાતમાં માણસ આજનું સુખ ગુમાવી રહ્યો છે


જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓના ચિંતનથી સમ્યકત્વ જ્ઞાન, સમ્યકત્વ દર્શન અને સમ્યકત્વ ચારિત્રની દિશામાં પ્રયાણ કરી શકાય છે. સાચી સમજ, સાચુ જ્ઞાન અને સાચુ દર્શન માણસના જીવનને પરિવર્તિત કરે છે. અજ્ઞાનના કારણે માણસ અંધારામાં રહ્યો છે. એટલે બુદ્ધ પુરુષોએ જ્ઞાન પર ભાર મૂકયો છે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં પણ સાચી સમજણ અને આત્મદર્શન. માણસ સારું કરવા ઈચ્છતો હોય પણ કેમ કરવું તેની સમજ ન હોય તો સારાને બદલે ખરાબ થઇ જાય. શુભને બદલે અશુભ થઇ જાય. આ સંસારમાં મનુષ્ય જન્મ ધારણ કરીને કર્મો કરતો રહે છે. ધર્મ નિરંતર થયા કરે છે. શુભ કર્મો શુભ તરફ અને અશુભ કર્મો અશુભ તરફ લઇ જાય છે. માણસ જેવી ભાવના ભાવે તેવું પરિણામ મળે છે. થોર વાવીને ગુલાબની અપેક્ષા રાખી શકાય નહીં. સમગ્ર જીવન કર્મને આધિન છે.

આ સંસારમાં કોઇ સુખી છે. કોઇ દુ:ખી, કોઇ રાજા, કોઇ રંક, કોઇ સ્વામી, કોઇ દાસ, કોઇ સેંકડોનું પાલન કરી શકે, તો કોઇ પોતાનું પેટ પણ ન ભરી શકે, કોઇ રોગી, કોઇ નિરોગી, કોઇ વગર મહેનતે સફળતા હાંસલ કરે તો કોઇ સખત મહેનત કરવા છતાં સિદ્ધિ કે સફળતા હાંસલ ન કરી શકે. આ વિચિત્રતાનું કારણ શું છે? ધર્મ કહે છે આ બધી વસ્તુઓ જેના પરિણામથી થાય છે તેને પાપ અને પુણ્ય કહે છે. ખરાબ કર્મોથી ખરાબ અને સારા કર્મોથી સારું થાય છે. કેટલીક વખત સારુ કરવાવળાં માણસને પણ દુ:ખો અને કષ્ટો વેઠવા પડે છે તેનું કારણ શું? તો ધર્મ કહે છે આ પૂર્વ જન્મોના કર્મો છે. મનુષ્ય મન, વચન અને કાયાથી જે કાંઇ પણ ક્રિયા કરે છે તેના પરિણામ સ્વરૂપ શુભ અને અશુભ કર્મો ઉત્પન્ન થાય છે. આ બધી બાબત ગહન છે. માત્ર આપણે એટલું સમજીએ જીવનમાં સારું કરીએ, સારા ભાવો રાખીએ તો બધુ છેવટે સારું જ થવાનું છે. આ બાર ભાવનાનું ચિંતન આપણને શુભ અને સકારાત્મક વિચારો તરફ લઇ જાય છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુઓ નાશવંત છે. કાયમી રહેવાની નથી. અશરણ ભાવનામાં એ ખ્યાલ કર્યો કે અહીં કોઇનું શરણ કામ આવતું નથી. જીવનમાં જે કાંઇ બનવાનું છે તેનાથી આપણને કોઇ ઉગારી શકવાનું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે અહીં રાગદ્વેષ છે, તારુ-મારુ છે. ઇર્ષા, અદેખાઇ અને આપાધાપી છે. એકત્વ ભાવનામાં એ સમજણ મળી કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. અન્યત્વ ભાવનામાં બોધ થયો કે અહીં કોઇ આપણું નથી. આપણે જેને આપણા પોતાના માનીએ છીએ તેઓ પણ આપણા નથી. સ્વાર્થનો આ સંઘર્ષ છે. આ સત્ય છતાં માણસે સૌને પોતાના માનીને તેમની સાથે સારો વ્યવહાર કરવો અને બીજાનું દુ:ખ આપણું પોતાનું છે એમ માનવું. અશુચિ ભાવનામાં એ જાણ્યું કે દરેક વસ્તુ વહેલી મોડી ર્જીણ થવાની છે. અશુદ્ધ થવાની છે. તેથી રૂપ અને સૌદર્યનું અભિમાન રાખવું નહીં. આસ્ત્રવ ભાવનામાં ખ્યાલ કર્યો કે મન વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મોના બધનમાં જકડાવું પડે છે. સંવર ભાવનમાં જોયું કે ઈન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાતા નથી. નિર્જરા ભાવનામાં એ જ્ઞાન થયું કે કર્મો આત્માની સાથે લાગેલા છે. તેને ખપાવવા અને દૂર કરવા શરીરથી ઉપર ઉઠવાનું છે. શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ. કર્મોની નિર્જરા માટે તપશ્ર્ચર્યા જરૂરી છે. લોકભાવના એટલે આત્મસ્વરૂપનું ચિંતન. આ ભાવનામાં આપણે જોયું કે જગતનું વાસ્તવિક સ્વરૂપ શું છે. એ કયા તત્ત્વોનું બનેલું છે અને તેને ચલાવનારા દ્રવ્યો કયા કયા છે. સમગ્ર સૃષ્ટી, લોક-અલોક, ચૌદ રાજલોક, દેવલોક, નરક, મનુષ્ય ક્ષેત્ર અને સિદ્ધ ક્ષેત્રે અંગે ખ્યાલ કર્યો. ભાવનાના અંતિમ ચરણમાં બોધિદુર્લભ ભાવના અને ધર્મ ભાવના છે. આપણે અહીં બોધિદુર્લભ ભાવના અંગે જાણવા પ્રયાસો કરીશું.

જીવનમાં આપણને જે કાંઇ મળ્યું છે અને જે દુર્લભ છે તેનો બોધ થવો જોઇએ. સૌથી વિશેષ મનુષ્ય જન્મ અને ઉત્તમમાં ઉત્તમ ધર્મ. મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરવાની આ વાત છે. સંસારમાં આપણે રાગ-દ્વેષ, માન-માયા, લોભ અને મોહમાં ફસાયેલા છીએ, કામ ક્રોધમાં રત છીએ. આ તારું અને આ મારું કરીને કર્મોને બાંધીએ છીએ. અને જીવનને દુ:ખમય બનાવીએ છીએ. અને ન કરવાનું કરીને કર્મોના જાળાઓને વધુ વિસ્તૃત કરીએ છીએ. જીવનમાં દુ:ખી અને અશાંત છીએ તેનું કારણ શું છે? તેનું કારણ જાણ્યે અજાણ્યે આપણે સૂક્ષ્મ હિંસા આચરી રહ્યા છીએ. કોઇના પ્રત્યે ક્રોધ કરવો, રાગ દ્વેષ રાખવો. કોઇના પ્રત્યે ખરાબ વિચાર કરવો એ પણ હિંસા છે. આવી સૂક્ષ્મ હિંસાઓના કારણે પ્રેમ પ્રગટ થતો નથી. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમભાવના રાખવાનું ભગવાન મહાવીરે કહ્યું છે. માત્ર પ્રેમથી જ હિંસાને રોકી શકાશે. જેને તમે પ્રેમ કરતા હો તેને દુ:ખ પહોંચાડી શકો નહીં. એનું દુ:ખ તમારું દુ:ખ બની જાય. આપણે જયારે કોઇના પ્રત્યે ક્રોધ કરીએ. દ્વેષ રાખીએ, વેર ઝેર બાંધીએ કેે કોઇનું અપમાન- અવહેલના કરીએ ત્યારે વિચારવું કે આપણામાંથી પ્રેમ અદૃશ્ય થયો છે. પ્રેમ સુખનું પરમતત્ત્વ છે. પ્રેમ વગરની આ દુનિયા નિર્ધન છે. તમારી પાસે ગમે તેટલું હશે પણ પ્રેમ અને સ્નેહ નહીં હોય તો તમારી સ્થિતિ કંગાળ જેવી છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે પ્રેમ માગવાથી મળે નહીં, આપ્યા વગર પણ મળે નહીં. તમે ઇચ્છો કે બધા મને ચાહે પણ મારે કોઇને ચાહવાની જરૂર નથી. તો તેમ બનવાનું નથી. આ રીતે કોઇ પ્રેમ કરશે તો તે સાચો પ્રેમ નહીં હોય. માત્ર દેખાવ હશે. પ્રેમ મેળવવા માટે પ્રેમમય બનવું પડે. જે પ્રેમમય બને છે તે પ્રભુમય બની શકે છે.

ક્રોધ, ઘૃણા અને તિરસ્કાર હિંસાના લક્ષણો છે. હું કાંઇક છું, બધુ મારા થકી છે આ અહંકાર નાબૂદ થવો જોઇએ. પ્રેમ અને અહંકાર સાથે રહી શકે નહીં. પ્રેમમાં ઓગળવું પડે. જીવનમાં વિરોધાભાસ છે. તેનું મુખ્ય. કારણ દંભ અને દિખાવટ છે. આપણે જે છીએ તેના કરતા જુદી રીતે જીવીએ છીએ. આપણુંં બહારનું અને અંદરનું જીવન જુદું છે. બધું બેહોશીમાં અને અજાગૃત અવસ્થામાં થઇ રહ્યું છે. કોઇને તનનો, કોઇને ધનનો, કોઇને પદનો તો કોઇને પ્રતિષ્ઠાનો કેફ ચડેલો છે. મોહ અને આસક્તિ પણ આપણા દુખનું કારણ છે. મોહનો અર્થ છે આપણે આપણામાં નહીં પણ બીજી વસ્તુઓમાં જીવી રહ્યા છીએ. જે વસ્તુમાં આપણે મોહ રાખી દીધો તેના દાસ બનવું પડે છે. જયાં પક્કડ છે ત્યાં પીડા પણ છે. સંસારના સુખો શાશ્ર્વત નથી. બદલાતા રહે છે. આજે જેમા સુખ દેખાય છે તેમાં કાલે દુ:ખ પણ દેખાઇ શકે છે. આજે જે મનગમતું છે તે કાલે અણગમતુુંં પણ બની જાય.

દરેક માણસે એ વિચારવું જોઇએ કે પરમાત્માની કૃપાથી તેને કેટલું બધું મળ્યું છે. જેના હાથ પગ સલામત છે તેને કોઇનાથી ડરવાનું નથી. પહેલું સુખ તે જાતે નર્યા. માત્ર ધનથી, સુખસગવડતાઓથી જીવી શકાતું નથી. શરીર અને મન સારું ન હોય તો આ બધું નકામું બની જાય. મનની શાંતિ, સ્વસ્થતા અને સારું આરોગ્ય ઉત્તમ સુખ છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ પાયાની જરૂરિયાત છે અને આના માટે બહુ મહેનત કરવી પડતી નથી પણ આ પછીની બીજી બધી વસ્તુઓ છે તે માટે માણસને દોડવું પડે છે. સારો પરિવાર, ઘરમાં સંપ અને સહકાર, એકબીજા માટે ઘસાવાની અને કરી છૂટવાની તમન્ના, સુખ- દુ:ખમાં સાથ અને આપણો વ્યવહાર બરાબર જળવાઇ રહે એ પણ મોટું સુખ છે. ધન- દોલતને સુખ સાથે સંબંધ નથી. એમાં સગવડતા સચવાય છે. પણ સુખ મળશે તેની કોઇ ખાતરી નથી. સુખ આપણા પોતાનામાં છે અને તે આપણે પોતે મેળવવાનું છે. ધન એ જ સુખ હોય તો બધા શ્રીમંત માણસો સુખી જ હોવા જોઇએ. શ્રીમંત કે ગરીબ દરેકને પોતાના સુખ અને દુ:ખ હોય છે. આ માનસિક પરિસ્થિતિ છે. દરેક વસ્તુને તમે કઇ રીતે લો છો તેના પર આનો આધાર છે.

માત્ર એટલો વિચાર કરીએ કે આપણને જે મળ્યું છે તે બીજા ઘણા માણસોને મળ્યું નથી એવા કેટલાય માણસો છે જેમને પેટનો ખાડો પૂરવા સતત રાત-દિવસ એક કરવા પડે છે. આવો બોધ થાય તો કશું દુ:ખ રહે નહીં. પણ આપણા દુ:ખનું મુખ્ય કારણ એ છે કે આપણને જે મળ્યું છે તેના તરફ આપણી નજર જતી નથી, પરંતુ જે નથી મળ્યું તેના તરફ આપણી નજર તકાયેલી છે. આપણે ભવિષ્યના સુખ માટે અને જે નથી મળ્યું તેના વલોપાતમાં આજનું સુખ ગુમાવીએ છીએ. આપણને જે મળ્યું છે તેનો સંતોષ ઉભો થવો જોઇએ. માણસને બીજાનું બધું સારું લાગે છે પોતાનું નજરમાં આવતું નથી. દરેક માણસે પેતાના સાધનો અનુસાર સુખને શોધી લેવું જોઇએ. બધાના સુખ દુ:ખ સરખા નથી. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. સુખ અને દુ:ખ એક વૃક્ષના બે હિસ્સા છે. સુખ મૂળ છે અને દુ:ખ પાંદડા છે. આપણે મૂળને ટકાવી રાખવા માગીએ  છીએ પણ પાંદડા જોઇતા નથી તેે કેમ બની શકે? મૂળને ટકાવી રાખવા માટે તેને પાણી આપવું પડશે અને પાણી આપીશું તો પાંદડા લીલાછમ રહેવાના છે. સુખ અને દુ:ખ બંને સાથે રહે છે. સુખ જયારે સક્રિય હોય છે ત્યારે દુ:ખ નિષ્ક્રિય બની જાય છે અને દુ:ખ જયારે સક્રિય બને છે ત્યારે સુખ નિષ્ક્રિય બની જાય છે. આપણે બંનેનો પરિતાપ સહન કરવાનો છે.

માણસે પ્રથમ પોતાની જાતને ઓળખવી જોઇએ. સ્વયંનું જ્ઞાન થવું જોઇએ અને વિચાર કરવો જોઇએ કે દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરવા મેં શું કર્યું? જે માણસ સ્વયંને જાણે છે, જેણે પોતાના અંતરમાં ડોકીયું કરીને આત્મ નિરીક્ષણ કર્યું છે અને જે રાગ દ્વેષ રહિત છે. તે જીવન અને ધર્મનું સાચું દર્શન કરી શકે છે. જગતમાં જે કાંઇ જ્ઞાન ઉપલબ્ધ થયું છે અને જે કાંઇ રહસ્યો ઉકેલાયા છે તે માણસની ભીતરમાંથી ઉકેલાયા છે. માણસે પોતાની દૃષ્ટિ બહારથી ભીતર તરફ વાળવાની છે.

માણસે જીવનને શુદ્ધ અને સાત્વિક બનાવવા ધર્મને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. તન શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ વગર આ શકય નથી. જીવનમાં એવો સંકલ્પ અને નિશ્ચય કરવો જોઇએ કે હું માણસ તરીકે જનમ્યો છું તો હવે પછીનું જીવન મહામાનવને છાજે એવું જીવવા પ્રયાસો કરીશ અને પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવીશ. સમાજમાં ફેલાયેલા અસત્ય, જૂઠ અને પ્રપંચના જાળામાંથી મુકત થઇને સત્ય અને ધર્મના માર્ગે વિચરીશ. મારા જીવનના કર્તવ્યોમાં માનવ બનવાનું મારું પ્રથમ કર્તવ્ય બનશે અને તે હું અદા કરીશ. પરમાત્માએ મને લાયકાત કરતા ઘણું આપ્યું છે. આવો નમ્ર ભાવ રાખવો અને આ પ્રકારનું ચિંતન કરવું એ બોધિદુર્લભ ભાવના છે. (હવે પછી ધર્મ ભાવના).

Sunday, April 17, 2016

લોકભાવના- મહેન્દ્ર પુનાતર

લોકભાવના એટલે આત્મસ્વરૂપનું ચિંતન
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓ એ ચિંતનની સરવણી છે. વિચાર, ચિંતન અને મનનના અનેક નવા દ્વારો તેનાથી ખૂલે છે અને જ્ઞાન પ્રગટે છે. સાચી સમજ વગર દૃષ્ટિ મળતી નથી. અને જ્ઞાનના ચક્ષુઓ ખૂલતા નથી. જીવનમાં આપણી પાસે બધું હોય પરંતુ સાચી સમજ ન હોય તો બધું નકામું છે. સાચી અને સારી વસ્તુઓનો જીવનના શ્રેય માટે ઉપયોગ થવો જોઇએ. ધન આપણી પાસે હોય, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે હોવાનો અર્થ સરતો નથી.

ધનની ત્રણ ગતિ છે. કાં તો તેનો સદઉપયોગ થાય, કાં તો દૂરુઉપયોગ અને નહીંતર વિનાશ. એમ જ્ઞાનની પણ ત્રણ ગતિ છે. માણસને જ્ઞાન આવે ત્યારે કાં તો સાચી સમજ કેળવાય છે. કાં તો તેનો અહંકાર પ્રબળ બને છે અને કાં તો મિથ્યાભિમાનમાં માણસ રાચતો થઇ જાય છે. ધન અને જ્ઞાન બંને શક્તિ છે, પણ આ શક્તિનો કંઇ રીતે સંયમપૂર્વક ઉપયોગ કરવો તે આપણે જાણવું જોઇએ.

બાર ભાવનાઓનું ચિંતન આપણી પાસે રહેલી શક્તિઓનો સદઉપયોગ કરવાની પ્રેરણા આપે છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જાણ્યું કે અહીં કોઇનું શરણ કામ આવતું નથી. ગમે તેવો ચમરબંધી હોય પણ જે કાઇ બનવાનું છે તેને રોકી શકતો નથી કે બચી શકતો નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. આ તારું અને આ મારુંનો ખટરાગ છે. કહેવાતું સુખ મેળવવા માટેની આ આપાધાપી છે, પણ ખરા અર્થમાં કોઇ સુખ પામી શકતું નથી. બધાને સુખ મેળવવું છે પણ આપવું નથી. એકત્વ ભાવનામાં ખ્યાલ કર્યો કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું મથી. ધન- દોલત બધું અહીં પડી રહેવાનું છે. અન્યથા ભાવનામાં આપણે જોયું કે અહીં કોઇ આપણું નથી. આપણે જેને આપણા માનીએ છીએ તે પણ આપણા નથી. આ સત્ય સમજવું આમ છતાં બધા આપણા છે તેવો વ્યવહાર અને ભાવના રાખવી. અશુચિ ભાવનામાં ખ્યાલ કર્યો કે દરેક વસ્તુ વહેલી કે મોડી ર્જીણ અને અશુદ્ધ થવાની છે. જે બને છે તે સમય જતા બગડે પણ છે. રૂપ સૌંદર્ય પણ કાયમ રહેવાનું નથી. આજે જે સારું લાગે છે, જોવું ગમે છે તે કાલે ગમશે નહીં. ઉગે છે તે આથમે છે, અહીં કોઇ વસ્તુ માટે અભિમાન રાખવાનું નથી. આસ્ત્રવ ભાવનમાં જાણવા મળ્યું કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મોના બંધનોમાં જકડાવું પડે છે. દરેક માણસ કર્મને આધિન છે. સારા અને ખરાબ બંને કર્મો માણસને ભોગવવા પડે છે. બધું અલગ અલગ ભોગવવાનું રહે છે. આમાં ખાતું સરભર થઇ શકતું નથી. સંવર ભાવનામાં જોયું કે ઈન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાતી નથી. નિર્જરા ભાવનામાં એ જાણ્યું કે કર્મો આત્માની સાથે લાગેલા છે તેને ખપાવવા અને દૂર કરવા શરીરથી ઉપર ઊઠવાનું છે. અને તપશ્ર્ચર્યા આ માટેનો માર્ગ છે. હવે આપણે લોકભાવના વિશે જાણવાનો પ્રયાસ કરીશું.

લોકભાવના એટલે આ લોકનું ચિંતન કરવું, તેના સ્વરૂપને સમજવું. આ સકળ વિશ્ર્વ અને બ્રહ્માન્ડનું રહસ્ય શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એ કયા તત્ત્વોનું બનલું છે અને તેને ચલાવનારા દ્રવ્યો કયા છે? વગેરેનું ચિંતન જો માણસ કરે તો તેને આત્મસ્વરૂપનું દર્શન કરવામાં સરળતા રહે. આકાશ, પૃથ્વી, વાયુ, કાળ, સમય. આ બધા તત્ત્વો શું છે? તેનો આપણી સાથેનો શો સંબંધ છે. જીવન પર તેનો શો પ્રભાવ છે? સકળ બ્રહ્માંડ જેમાં આવા અનેક વિશ્ર્વો રહેલા છે. આકાશમાં ટમટમટા તારાઓ, ગ્રહો , ઉલ્કાઓ, સૂર્યમાળાઓ અને પૃથ્વીના પેટાળમાં રહેલાં તત્ત્વો, કુદરતની રહસ્યમય ઘટનાઓ, પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ, નદી નાળાઓ, પર્વતો, આ બધા વિરાટ તત્ત્વો શું છે? અને તેમાં આપણું સ્થાન શું છે? તેનું ચિંતન એટલે લોકભાવના.

આ વિરાટ વિશ્ર્વમાં એક એકથી ચડિયાતી વસ્તુઓ છે. એમાં આપણી શી હેસિયત છે અને આપણું શું સામર્થ્ય છે તે જો આપને સમજાય જાય તો આપણો તમામ અહંકાર ઓગળી જાય. મારા જેવું કોઇ નહીં. હું કાંઇક છું એવું અભિમાન રહે નહીં. આપણે સાંકડી, સંકૂચિત દુનિયામાં રહીએ છીએ. કુવામાંના દેડકાં જેવી આપણી પરિસ્થિતિ છે. આપણી સીમા મર્યાદિત છે એ અહંકાર પ્રબળ છે. આ ભાવનાના ચિંતનથી આ જગત અંગેની સમજ કેળવાય છે. આ ભાવનામાં રહેલું વિરાટનું દર્શન આપણા અહંકારને રોકવા માટેનું છે.

જૈન ધર્મ અંગે વિદ્વાન લેખક અને ચિંતક રમણલાલ સી. શાહે જુદા જુદા પુસ્તકોમાં વિસ્તૃત ખ્યાલ આપ્યો છે તે સંક્ષિપતમાં જોઇએ તો લોકભાવના અંગે વધુ પ્રકાશ પડશે. જૈન ધર્મ માને છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ અને અનંત છે. આત્મા અવિનાશી છે. આત્મા સંસારના બંધનોમાંથી સર્વથા મુકત થઇ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. મુક્તિ પામ્યા પછી આત્માને ફરી સંસારનાં પરિભ્રમણમાં પાછા આવવાનું રહેતું નથી. જૈન ધર્મ પૂર્વ જન્મ અને પુનર્જન્મમાં માને છે. જન્મ જન્માંતરની ગતિ આત્માને પોતાના કર્મના ફળ અનુસાર પ્રાપ્ત થાય છે. આત્મા કર્મોનો કર્તા અને ભોક્તા છે. આત્મા રાગ દ્વેષને જીતી મુક્તિનો અધિકારી બની શકે છે.

જૈન ધર્મના અમુક ગ્રંથોમાં સમગ્ર સૃષ્ટિનું, લોક-અલોકનું ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે કેડે હાથ દઇ ઊભેલા પુરુષની આકૃતિ જેવી ચૌદ રાજલોકની સૃષ્ટિ બનેલી છે જે દશે દિશામાં અબજો માઇલથી પણ વધુ બલકે અસંખ્યાત યોજનોની બનેલી છે. તેમાં નીચેના ભાગમાં નરક અને ઉપરના ભાગમાં દેવલોક છે તથા નાભીના સ્થાને મનુષ્યક્ષેત્ર છે. આ મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલું છે. એ અઢી દ્વીપમાં એક જંબુદ્વીપ છે જે એક લાખ યોજનનો છે. આ જંબુદ્વીપમાં આપણી પૃથ્વી આવેલી છે. ચૌદ રાજલોકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને લોકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે. જયાં સિદ્ધાત્માઓ, મુકતાત્માઓ બિરાજે છે. ચૌદ રાજલોકની બહારનો પ્રદેશ અલોક કહેવાય છે જે અનંત છે. અને અવકાશ સિવાય બીજું કશું ત્યાં નથી. જૈન ધર્મ માને છે કે આ પૃથ્વીની બહાર પણ માનવસૃષ્ટી છે.

જૈન ધર્મમાં ‘સમય’ શબ્દ પારિભાષિક છે. સમય એટલે કાળનો સૂક્ષ્મતમ એકમ સમયના માટે જૈન ધર્મમાં કાળચક્રની કલ્પના કરવામાં આવી છે. સમય એટલે કાળચક્રની ગતિ. કાળચક્રના બે વિભાગ છે. એક અવસર્પિણી અને બીજો ઉત્સર્પિણી. તે દરેકમાં છ છ આરા છે. અવસર્પિણીમાં ઉત્તરોત્તર સુખમાંથી દુ:ખનો ખરાબ સમય આવતો જાય છે. અને ઉત્સર્પિણીમાં ઉત્તરોત્તર દુ:ખમાંથી સુખનો ચડિયાતો સમય આવતો જાય છે. એક કાળચક્રનો સમય વીસ ક્રોડા ક્રોડ સાગરોપમ જેટલો ભાગ હોય છે. સાગરોપમ શબ્દ પારિભાષિક છે. હાલ અવસર્પિણીનો પાંચમો આરો ચાલી રહ્યો છે. પ્રત્યેક અવસર્પિણીમાં અને પ્રત્યેક ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થાય છે.

આ ભાવનાના ચિંતનથી આપણને સમજાય છે કે સમય અને કાળનું ચક્ર ફરી રહ્યું છે. ગઇકાલે હતું તે આજે નથી અને આજે છે તે આવતીકાલે હશે નહીં. બધું સમયની સાથે બદલાઇ જાય છે. દરેક વસ્તુ ક્ષીણ થતી રહે છે. સર્જન અને વિનાશનું ચક્ર ચાલી રહ્યું છે. જિંદગી ધીમે ધીમે સમાપ્ત થતી રહે છે. અહીં કશું આપણા હાથમાં નથી. આપણે સમયને બદલી શકતા નથી. સમય કોઇના કહેવાથી રોકાતો નથી. દરેકને સમયની સાથે ચાલવુ પડે છે. સમયની સાથે જેઓ ચાલે છે તે ટકી રહે છે અને સમયની સામે ઊભો રહીને હવાતિયા મારતો માણસ ઉથલી પડે છે. નદીના પ્રવાહમાં ઘસડાતું તણખલું એમ માને કે નદીમારે કારણે વહી રહી છે તો એ અભિમાન અને અહંકાર સિવાય બીજું કશું નથી. અહીં ગર્વ કરવા જેવુ કશું નથી. આ લોકને છોડીને જવાનું છે અને સાથે કશું આવવાનું નથી એ પરમ સત્ય છે.

ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદગળ, કાળ અને આત્મા આ છ દ્રવ્યો છે. ચૌદ રાજલોક, જન્મ- મરણના ફેરા અને સંસારનું સ્વરૂપ અને એમાં આપણે કયાં ફસાયા છીએ અને એમાંથી આપણે શું સુખ મેળવ્યું. આ બધાનું ગહન ચિંતન સંસારની અસારતાનો ખ્યાલ આપે છે.

આ સંસારમાં સુખ-દુ:ખ, આશા-નિરાશા, હર્ષ -શોક, શુભ-અશુભ બધું સાથે રહેલું છે. એકલું સુખ અહીં શક્ય નથી. સુખ સાથે દુ:ખ જોડાયેલું છે. આશા સાથે નિરાશા છે. હર્ષ સાથે શોક છે. કશુ કાયમી નથી. બધું વારાફરતી આવતું રહે છે. આ વિરાટ વિશ્ર્વમાં આપણે અંશ માત્ર છીએ. તેમાં બનતી ઘટનાઓ આપણને નિરંતર એક યા બીજા સ્વરૂપે સ્પર્શતી રહે છે. જીવન આ બધા પર આધારિત છે.

માણસ પાસે અખૂટ શક્તિ છે. આ શક્તિ જુદા જુદા માર્ગે વેડફાઇ જાય છે. આ શક્તિઓ જો સંગ્રહિત થાય અને સહી માર્ગે વળે તો તેનાથી લોકકલ્યાણ અને આત્મ કલ્યાણ બંને થઇ શકે.

લોકભાવનાનું ચિંતન અહંકારને ઓગાળવા માટેનું છે પણ સાથે સાથે સમજવાનું છે કે મનુષ્ય નિર્બળ નથી. એ ધારે તે કરી શકે છે. માણસને જગતનું સાચું જ્ઞાન અને સાચી સમજણ ઊભી થાય તો આ અનંત શક્તિ દ્વારા માણસ પરમાત્મા પણ બની શકે છે. (હવે પછી બોધિદુર્લભ ભાવના)

Saturday, April 16, 2016

નીતિકથાઓ- ચંદ્રકાંત બક્ષી,

મહાસાર: નીતિકથાઓથી રાજાઓમાં પણ અક્કલ આવી જાય છે
નીતિકથા અથવા ઉદાહરણથી સત્યને સમજવું સરળ પડે છે. સત્ય વિકટ છે, સૂર્યના પ્રકાશની જેમ એની છાયાઓ બદલાતી રહે છે, માટે જ સત્યના સાધકે અહર્નિશ સતર્ક રહેવું પડે છે. આ સાધના માટેનાં ઉપકરણો કે સાધનો પર અંધવિશ્ર્વાસ રાખી શકાતો નથી


ચંદ્રકાંત બક્ષી - બક્ષી સદાબહાર


એક જૈન નીતિકથા છે. છ આંધળા માણસો હાથીને સ્પર્શ કરીને પોતપોતાના પ્રતિભાવ આપે છે. એકને હાથીના કાન પંખા જેવા લાગે છે અને એ કહે છે કે હાથી પંખો છે. પગને પકડનાર માને છે કે હાથી એક થાંભલો છે. દરેકનું સત્ય સત્ય જરૂર છે પણ અનુભવસિદ્ધ સત્ય છે અને અહીં સિદ્ધનો અર્થ આધારિત છે, પ્રમાણિત નથી. અહીં સત્યની આંતર-વિરોધતાઓ નથી પણ મેઘધનુષ્યના બે રંગોની પૂરક વિરોધિતાઓ છે. બે વિરોધિતાઓ એક જ સત્યના ઘટક અંશો હોઈ શકે.

નીતિકથા અથવા ઉદાહરણથી સત્યને સમજવું સરળ પડે છે. સત્ય વિકટ છે, સૂર્યના પ્રકાશની જેમ એની છાયાઓ બદલાતી રહે છે, માટે જ સત્યના સાધકે અહર્નિશ સતર્ક રહેવું પડે છે. આ સાધના માટેનાં ઉપકરણો કે સાધનો પર અંધવિશ્ર્વાસ રાખી શકાતો નથી. કારણ કે દરેક સાધન સાધ્યને લક્ષ્યમાં રાખીને જ વાપરી શકાય છે. આ ગહન વાત ઉદાહરણથી સમજવી પડશે. જે ઉપકારક છે એ જ અપકારક બની શકે છે, માર્ગદર્શક છે એ માર્ગભક્ષક બની શકે છે. સનાતન શબ્દના રંગ બદલાતા જાય છે. જે આજે, અત્યારે કામનું છે એ આ પછીની ક્ષણે અને બદલાયેલી જરૂરિયાતના પ્રકાશમાં માત્ર નકામું નહીં પણ નુકસાનકારક પણ બની શકે છે.

આ વાત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને એક બૌદ્ધ જાતકકથા દ્વારા સરસ રીતે સમજાવી છે. સત્ય સમજાવવા માટે ભગવાન બુદ્ધે નૌકાનું દૃષ્ટાંત આપ્યું હતું. એક માણસ એક નદી પાસે આવ્યો. નદીમાં રેલ આવી હતી. માણસે કિનારે પડેલી હોડી છોડી અને હોડીની સહાયથી એ નદી પાર કરી ગયો. એ બુદ્ધિમાન માણસ નદી ઓળંગીને કિનારે ઊતર્યો પછી એણે વિચાર કર્યો કે આ હોડી કામની વસ્તુ છે માટે એણે હોડીને ખભે ઉપાડીને વનમાર્ગ પર ચાલવા માંડ્યું. જે હોડી પાણીમાં સહાયક હતી એ હોડી જમીન પર અવરોધક હતી. માણસ થાકી ગયો. સાર એ છે કે બુદ્ધિમાન માણસ વસ્તુ જ્યારે અનુપયોગી થાય છે ત્યારે એનો ત્યાગ કરી નાખે છે. ક્યારેક બુદ્ધિ સ્વયં ભારરૂપ બની જાય છે.

ડૉ. રાધાકૃષ્ણને મજ્ઝિમ-નિકાયમાંથી એક શ્ર્લોક પણ ટાંક્યો છે: શાસ્ત્રાણિ અભ્યાસ્ય મેધાવી જ્ઞાનવિજ્ઞાન તત્પરા:/ પલાલમ ઈવ ધ્યાન્યાર્થી ત્યજેત ગ્રંથાન અશેષત:...! આ શ્ર્લોકનો ભાવાર્થ: જ્ઞાની માણસ શાસ્ત્રોનો અભ્યાસ એનો તત્ત્વાર્થ સમજવા માટે કરે છે, (અને એ પ્રાપ્ત કર્યા પછી) એ પુસ્તકો ફેંકી દે છે, જેવી રીતે ધાન્ય શોધનારો કાંકરા ફેંકી દે છે...! એટલે મહત્ત્વની વસ્તુ પુસ્તકો નથી, પણ એ પુસ્તકોમાં સંચિત જ્ઞાન છે.

ઉદાહરણોમાં એ કમાલ છે કે ગહનમાં ગહન વાતને એ સરળતાથી પ્રસ્તુત કરી શકે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મકથાઓમાં અનેકાનેક ઉદાહરણો પડ્યાં છે, જે ભારતવર્ષની સામૂહિક પરંપરા છે. ઘણાં ખરાં પ્રાચીન ઉદાહરણો મનુષ્યલક્ષી અને જીવનલક્ષી છે. જે વાત એક વાક્યમાં સમજાતી નથી એ વાર્તા દ્વારા કહેવાય છે.

ઘણી વાર જંતુઓ કે પ્રાણીઓનાં દૃષ્ટાંતો આપીને મનુષ્ય સ્વભાવની ક્ષતિઓ તરફ નિર્દેશ કરવામાં આવે છે. એક પ્રખ્યાત પ્રસંગ છે. એક મધુમાખી ખીલેલા કમળમાં બેસીને મધ ચૂસી રહી હતી, એ પ્રવૃત્તિમાં એ એટલી મગ્ન થઈ ગઈ હતી કે એ ધ્યાન રહ્યું નહીં કે કમળની પાંદડીઓ રાત્રે બંધ થઈ જશે અને એ અંદર બંધ થઈ જશે. અંતે હાથીઓનું એક ટોળું આવ્યું અને એક હાથી સૂંઢથી કમળ તોડીને ગળી ગયો. મધમાખી આશા રાખતી હતી કે પ્રાત: થશે અને કમળ ખૂલશે એટલે હું ઊડી જઈશ.

એક ધર્મિષ્ઠ માણસ પાણીમાં સ્નાન કરતો હતો અને એણે પાણીની સપાટી પર એક તરફડતો વીંછી જોયો. ધર્માત્માએ હાથથી વીંછીને ઉછાળીને કાંઠા પર ફેંક્યો પણ એટલી વારમાં વીંછી એને કરડી ગયો. જ્યારે કોઈએ ધર્માત્માને પ્રશ્ર્ન કર્યો ત્યારે એણે ઉત્તર આપ્યો: બંનેએ પોતપોતાનો ‘સ્વધર્મ’ કર્યો છે!

એક સ્થળે ઈશ્ર્વરને કરોળિયા સાથે સરખાવવામાં આવે છે. ઈશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. કરોળિયો અત્યંત સૂક્ષ્મ તારોથી એના વિશ્ર્વનું સર્જન કરે છે અને એ તાર એની પોતાની નાભિમાંથી ખેંચીને કાઢે છે.

વરસાદની હેલી થાય છે અને એકાએક કરા પડે છે. ગરમીથી ત્રાસેલો સર્પ બહાર નીકળે છે અને નાના નાના કરાઓ ગળતો જાય છે. આ આનંદનું રહસ્ય સમજવા એ અસમર્થ છે. કરા શરીરમાં ભરાઈ જવાથી થોડી જ મિનિટોમાં સર્પનું મૃત્યુ થાય છે. ઈશ્ર્વરી સુખ દ્વારા મૃત્યુ આકાશમાંથી વરસાવી શકે છે.

સ્ત્રી વિશે એક નાની વાર્તા છે. એક રાજા જંતુઓની ભાષા સમજતો હતો. રાજારાણી બેઠાં હતાં અને બે કીડીઓ વાતો કરતી હતી. કીડીઓની વાતો સાંભળીને રાજા હસી પડ્યો. રાણીએ વાત જાણવા માટે હઠ પકડી. રાજા પર અભિશાપ હતો કે જો એ આ ભાષાની જાણેલી વાત બીજાને કહેશે તો એનું માથું ફાટી જશે. આ વાત સમજાવવા છતાં રાણીની જીદ ચાલુ રહી ત્યારે રાજાના સલાહકારોની સલાહથી રાજાએ રાણીનો ત્યાગ કર્યો. આ નીતિવાર્તાને અંતે કહેવામાં આવ્યું છે કે લીમડાના વૃક્ષને ગોળનું ખાતર નાખો અને રોજ બાટલીઓ ભરીને મધ પાઓ તો પણ એ મીઠું ફળ આપશે નહીં.

મનુષ્યજીવન કેવું છે? મનુષ્યજીવન વિશે ઘણા પ્રકારનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. મનુષ્ય ગીચ વનમાં ઘેરાયેલા હરણ જેવો છે. પાણી માટે પ્યાસો છે. જમણી તરફ જુએ છે તો એક પારધી (શિકારી) શરસંધાન કરી ઊભો છે. ડાબી તરફ એવા વાઘ એના પર છલાંગ મારવા તૈયાર છે. સામે બળતા વનનો દાવાનળ પાસે આવી રહ્યો છે. પણ એકાએક વીજળીના ચમકારા, આકાશમાં ગડગડાટ અને જોરથી વૃષ્ટિ થાય છે. પારધી એનું નિશાન ચૂકી જાય છે, વાઘ ભયથી ભાગી જાય છે, આગ ઠરી જાય છે - અને હરણને પીવાનું પાણી મળી જાય છે! મનુષ્યજીવન પણ સર્જનહારની લીલા છે.

મનુષ્યશરીર એક નગર છે અને એનાં ૧૧ દ્વારો છે. ગીતામાં શરીરનાં ૯ દ્વારો વિશે ઉલ્લેખ થયો છે. નીચ આત્માઓ શરીરના નિમ્ન ભાગોમાંથી દેહત્યાગ કરે છે અને ઉચ્ચ આત્માઓ શરીરના ઉપરી ભાગોમાંથી દેહત્યાગ કરે છે. પણ મનુષ્યને બંને તરફથી બળતા લાકડાના પાટડાની વચ્ચે દોડી રહેલી કીડી સાથે સરખાવવામાં આવ્યો છે. મનુષ્યને રેલ આવેલી નદીમાં તણાઈ રહેલા શિયાળ સાથે સરખાવ્યો છે. બીજું એક દૃષ્ટાંત એવું છે કે સુખનો એક મહેલ છે, એમાં એક કક્ષ છે અને એ કક્ષમાં મનુષ્ય નિવાસ કરવાનો છે. અહીં બધું જ છે અને કક્ષમાં એક ફણીધર નાગ પણ રહે છે!

એક સૂચક ઉદાહરણ સોબત વિશે છે. વરસાદનું ટીપું લાલઘૂમ લોખંડ પર પડે છે અને એક ક્ષણમાં વરાળ બનીને ઊડી જાય છે. વરસાદનું ટીપું કમળના પાંદડા પર પડે છે અને એ જ રીતે પડ્યું રહે છે. વરસાદનું ટીપું જો છીપના પેટમાં પ્રવેશ કરે છે તો એમાંથી મોતી બને છે. એક જ ટીપું છે પણ પરિણામ, ભિન્ન ભિન્ન છે. વ્યક્તિ જેની સાથે સંબંધ રાખે છે એવું એનું સ્વરૂપ થાય છે, સોબત તેવી અસર કહેવત સાથે આ દૃષ્ટાંતને સંબંધ છે. ભજગોવિન્દમ્ આદ્ય શંકરાચાર્યે પણ ઉચ્ચ આત્માઓ સાથે સંબંધ પર ભાર મૂક્યો છે.

જ્ઞાન અને વ્યવહાર વિશે થોડાં ઉદાહરણો છે. ત્રણ પંડિતો વનમાંથી આવી રહ્યા હતા અને એમની સાથે એક અશિક્ષિત માણસ હતો. માર્ગમાં એમણે એક મરેલો વાઘ જોયો. પંડિતોએ કહ્યું કે અમે મંત્રોચ્ચારથી આ મૃત પ્રાણીને જીવિત કરી શકીએ છીએ! મંત્રો ઉચ્ચારીને પંડિતોએ વાઘને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું ત્યારે અશિક્ષિત માણસ ઝાડ પર ચડી ગયો. વાઘ જીવતો થયો અને પંડિતોને ખાઈ ગયો. વ્યવહારશૂન્ય જ્ઞાન અને વ્યવહારકુશળ જ્ઞાનમાં ભેદ છે.

એક વાર એક નૌકામાં એક વિદ્વાન નદી ઓળંગી રહ્યો હતો. એણે નૌકાના ચાલક નાવિકને પૂછ્યું: તું શાસ્ત્ર ભણ્યો છે? ગ્રામીણ નાવિકે ના પાડતાં વિદ્વાને કહ્યું: તારું જીવન વ્યર્થ ગયું! મધ્ય નદીમાં તોફાન ઊઠ્યું. નાવ ડોલંડોલ થઈ ગઈ અને બંને પાણીમાં પડ્યા. નાવિકે વિદ્વાનને પૂછ્યું: આપને તરતાં આવડે છે? તરફડિયાં મારતાં વિદ્વાને ઉત્તર આપ્યો: ના! અને ગ્રામીણ નાવિકે કિનારા તરફ તરતાં તરતાં કહ્યું: આપનું જીવન વ્યર્થ ગયું!

કથાસાર દ્વારા ઘણી વસ્તુઓ બહુ સચોટ રીતે કહી શકાય છે. ધર્મગુરુઓનું આ એક અમોઘ શસ્ત્ર છે. એક સાપને કરંડિયામાં પૂરીને કરંડિયો બંધ કરી દેવામાં આવ્યો. એટલામાં એક ઉંદર આવ્યો. કરંડિયામાં કંઈક હશે એમ સમજીને એણે કાણું પાડ્યું અને અંદર પ્રવેશવા ગયો. સાપ ઉંદરનો ભક્ષ કરી ગયો અને એને કરંડિયામાંથી બહાર નીકળી જવાનો માર્ગ પણ મળી ગયો. ઈશ્ર્વર જ્યારે ધ્યાન રાખે છે ત્યારે મનુષ્યનું ભાગ્ય પણ આ રીતે ચાલે છે.

સ્ત્રી-સહવાસ વિશે એક બોધકથા છે. એક સુચ્ચરિત્રા સ્ત્રી હતી અને એનો પતિ વિદેશ ગયો હતો. રાજા આ સ્ત્રીના મોહમાં પડ્યો અને એના ઘરમાં આવી ગયો. સ્ત્રી પરિસ્થિતિનું ગાંભીર્ય સમજી ગઈ. એણે રાજાનો આદર કર્યો અને એક કપમાં વ્યંજન ખાવા આપ્યું. પછી ફરીથી એવા જ બીજા કપમાં એ જ વ્યંજન આપ્યું, આ રીતે એક પ્રકારના કપો બદલાતા ગયા પણ વ્યંજન એ જ રહ્યું. રાજાને પહેલી વાર ભાવ્યું પણ પછી એની એ જ વાનગી આવતી થઈ એટલે અરુચિ થઈ ગઈ. રાજાએ જ્યારે સુચ્ચરિત્રા સ્ત્રીને આ અરુચિનું કારણ પૂછ્યું ત્યારે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે ઈંદ્રિયસુખની એક જ પ્રકૃતિ છે, ફક્ત વાસણો બદલાય છે. માટે સુખ ઝડપથી ક્રમશ: ઓછું થતું જાય છે અને તરત અરુચિ થઈ જાય છે...! સાર: રાજા સમજી ગયો..!

મહાસાર: નીતિકથાઓથી રાજાઓમાં પણ અક્કલ આવી જાય છે!

Sunday, April 10, 2016

નિર્જરા ભાવના- મહેન્દ્ર પુનાતર

શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓ જીવનની બાર ધારાઓ છે. જુદી જુદી રીતે વહે છે અને સાથે મળે છે ત્યારે એક પવિત્ર ઝરણું બની જાય છે. ગમે તેવો પાપી પણ તેમાં ડૂબકી મારીને પવિત્ર બની શકે છે. આ ધારાઓ તન અને મનના મેલને દૂર કરીને આપણને શુદ્ધ બનાવે છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જાણ્યું કે અહીં કોઇનું શરણ કામ આવતું નથી.સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. એકત્વ ભાવનામાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ તે જાણ્યું. અન્યત્વ ભાવનામાં જાણવા મળ્યું કે આપણું પોતાનું જેને માનીએ છીએ તે પણ આપણું નથી. અશુચિ ભાવનામાં ખ્યાલ કર્યો કે દરેક વસ્તુ વહેલી કે મોડી ર્જીણ થવાની છે. રૂપ અને સૌંદર્ય પણ લાંબો સમય ટકવાનું નથી. આસ્ત્રવ ભાવનામાં જાણ્યું કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મોના બંધનોમાં જકડાવું પડે છે. સંવર ભાવનામાં જોયું કે ઇન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાય નહીં. હવે આપણે નિર્જરા ભાવના અંગે જાણવા પ્રયાસો કરીશું.

કર્મો આત્માની સાથે લાગેલા છે. તેને ખપાવવા, દૂર કરવા અને તેનો નાશ કરવો તેનું નામ નિર્જરા, પરંતુ આ કઇ રીતે થઇ શકે ? કર્મોના બંધનોમાંથી કઇ રીતે છૂટાય ? આ માટેનો માર્ગ છે તપશ્ર્ચર્યા. તેનો મુખ્ય હેતુ છે દેહશુદ્ધિ અને આત્મશુદ્ધિ. કષાયોને દૂર કરવા અને કર્મોને ખપાવવા માટે તપ જરૂરી છે. જેના વડે ક્ષમા પ્રગટે, વિનય પ્રગટે, સરળતા પ્રગટે, સંતોષ પ્રગટે, વૈરાગ્ય પ્રગટે અને જેના વડે સિદ્ધતા પ્રગટે એનું નામ સાધના. આવી સાધના એટલે તપશ્ર્ચર્યા. જેમ શરીરની સફાઇ માટે સ્નાન કરીએ, મેલ કાઢીએ તેમ મનની સફાઇ માટે આંતરધ્યાન કરવાનું છે. તપશ્ર્ચર્યા જ્ઞાનમય અને સાધનાપૂર્ણ હોવી જોઇએ. તેનો મુખ્ય ઉદ્દેશ મન પર કાબૂ મેળવવાનો છે. મનને ભટકતું રોકવાનો છે, પણ આમાં તપનું તેજ ન હોય તો અર્થ સરતો નથી. તપ એ આત્મદર્શન છે. તપશ્ર્ચર્યા આત્મકલ્યાણ માટે છે. તેમાં ત્યાગને છોડી દેવાની ભાવના હોવી જોઇએ. મન સ્થિર અને શાંત બનવું જોઇએ. માન, માયા, લોભ, ક્રોધ અને મોહ તેમ જ આસક્તિ દૂર થવી જોઇએ. વાસના દ્વારા મન અસ્થિર બને છે તેનો સંપૂર્ણ ક્ષય થવો જોઇએ. તપ આ માટે છે. તેમાં સંપૂર્ણ ચેતના અને જાગૃતિ હોવી જોઇએ. તપનું પ્રથમ સૂત્ર છે આ ભૌતિક શરીર હું નથી. શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ. આમાં શરીર સાથેનું વળગણ તોડીને પ્રાણ ઊર્જા સાથે કડી જોડવાની છે.

જૈન શાસ્ત્રમાં તપ ૧૨ પ્રકારના જણાવેલા છે. આમાં ૬ બાહ્ય તપ અને ૬ અંતરતપ છે. આ તપની પ્રક્રિયા સમજાય જાય અને સંકલ્પ દૃઢ થઇ જાય તો જીવનમાં અમૃતની યાત્રા શરૂ થાય છે.

બાહ્ય તપમાં પ્રથમ તપ અનશન-ઉપવાસ છે. ઉપવાસ એટલે ભોજનનો ત્યાગ. શરીર સાથેનો આપણો જે સંબંધ છે તે મુખ્યત્વે ભોજનનો છે. જેટલું વધુ ભોજન એટલો શરીર સાથેનો સંબંધ વધુ. અતિ ભોજન વાસના પ્રેરક છે. જરૂરથી વધારે ભોજનના કારણે મૂર્છા વધે છે અને માણસ ઇન્દ્રિયોને વશ થઇ જાય છે. ભોજનની વાસના છૂટી જાય તો શરીર સાથેની બધી વાસનાઓ છૂટી જાય.

ઉપવાસ પછીનું બીજુ બાહ્ય તપ છે ઉણોદરી. ઉણોદરીનો અર્થ છે અપૂર્ણ ભોજન. ભૂખ હોય તેના કરતા ઓછું ખાવું. ભોજનમાં સંયમ રાખવો. ભોજનની પરાકાષ્ઠા પર પહોંચ્યા પહેલા અટકી જવું. ભોજનનો છેલ્લો ભાગ વધુ રસમય તૃપ્તિપૂર્ણ હોય છે. આ બિંદુ પર અટકી જવુ. આમાં ભોજન પ્રત્યેની રૂચિ અને આસક્તિ ધીરે ધીરે છોડવાનો હેતુ છે. બાહ્ય તપનું ત્રીજુ ચરણ છે વૃત્તિ સંક્ષેપ. આમાં ઇચ્છાઓને કાબૂમાં રાખવા નિયમ અને અભિગ્રહણ ધારણ કરવાના હોય છે. વૃત્તિઓને કાબૂમાં રાખવા માટેનો આ સર્વોત્તમ ઉપાય છે. વૃત્તિઓ સંક્ષિપ્ત થઇ જાય તો બહારનો પરિગ્રહ પણ ઓછો થાય છે. બાહ્ય તપનું ચોથું ચરણ છે રસત્યાગ, જે વસ્તુમાં સ્વાદ હોય, રસ હોય અને મન લાગેલું હોય તેનો ત્યાગ કરવો. આમાં મન પર અંકુશની વાત છે. સ્વાદ માત્ર વસ્તુમાં હોતો નથી પરંતુ તેની સાથે મન જોડાયેલું છે. દુ:ખ-આફત, મુશ્કેલીના સમયમાં ગમે તેટલું સારું ભોજન હોય પણ તેનો સ્વાદ રહેતો નથી, કારણ કે મન તેમાં જોડાયેલું હોતું નથી. બાહ્ય તપનું પાંચમુ ચરણ છે કાયા-કલેશ એનો અર્થ છે શરીરને સુસ્ત રહેવા દેવું નહીં. પ્રમાદ કરવો નહીં જે પણ મુશ્કેલી -કષ્ટ આવે તે સહન કરવા. કાયા-કલેશની સાધનાની શરૂઆત કષ્ટના સ્વીકારથી થાય છે અને પૂર્ણ થાય છે, કષ્ટના વિસર્જનથી. કોઇ પણ દુ:ખ હસતા મોઢે સ્વીકારી લીધા પછી તે દુ:ખ રહેતું નથી. દુ:ખની મુક્તિનો આ ઉપાય છે. બાહ્ય તપનું છઠ્ઠું ચરણ છે સંલીનતા. તેનો અર્થ છે સંકોચ કરવો, સંવરણ કરવું અર્થાત્ અશુભ માર્ગે જતી ઇન્દ્રિયોને રોકવી. શક્તિઓને વ્યર્થ રીતે વેડફાઇ જતી અટકાવવી. સલીનતાનો અર્થ છે પોતાનામાં લીન થઇ જવું. ઊર્જાને સંકલિત કરી ભીતરમાં ઉતારવી. માણસ બહાર ભાગતો રહે છે આમાં અંદર ઊતરવાની વાત છે. આ બાહ્ય તપો શરીર શુદ્ધિ માટેના છે. અંતરતપમાં ઊતરવા માટેનો આ પાયો છે.

હવે આપણે અંતરતપ અંગે જાણીએ. અંતરતપનું પ્રથમ ચરણ છે પ્રાયશ્ર્ચિત્ત. પ્રાયશ્ર્ચિત્ત શું છે તે પ્રથમ સમજવું જરૂરી છે. પશ્ર્ચાત્તાપ અને પ્રાયશ્ર્ચિત્તમાં ફરક રહેલો છે. પશ્ર્ચાત્તાપનો સંબંધ બીજા સાથેનો છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્તનો સંબંધ પોતાની સાથેનો છે. પશ્ર્ચાત્તાપ બહારનો છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્ત ભીતરનું છે. પશ્ર્ચાત્તાપ એટલે ભૂલની કબૂલાત અને પ્રાયશ્ર્ચિત્ત એટલે ભૂલ ફરી ન થાય તેની પ્રતિજ્ઞા. પ્રાયશ્ર્ચિત્ત એ અંતરતપનું દ્વાર છે. અંતરતપનું બીજું ચરણ છે વિનય. મન જ્યાં સુધી બીજાના દોષો જોતું રહે ત્યાં સુધી વિનય સંભવિત નથી. માણસ જ્યાં સુધી એમ વિચારતો રહે કે હું કહું એ જ સાચું ત્યાં સુધી વિનય આવે નહીં. કોઇ પણ જાતના ભેદભાવ વગર, કોઇપણ જાતની સરખામણી વગર અસ્તિત્વના તમામ પદાર્થો પ્રત્યે આદર ઊભો થવો જોઇએ. જીવનની તમામ પ્રવૃત્તિમાં નમ્રતાનો ભાવ આવવો જોઇએ. અંતરતપનું ત્રીજુ ચરણ છે વૈયાવૃત્ય. આનો અર્થ છે સાધુ-સાધ્વીજીઓની સેવા કરવી ભક્તિ કરવી, પણ સાથે સાથે જ્યાં પણ સેવાની, મદદની જરૂર હોય ત્યાં પીડિતો અને દુ:ખીઓનો તન, મન અને ધનથી સેવા કરવી એવો આ પાછળનો ગર્ભિત અર્થ છે, પરંતુ આમા કશી અપેક્ષા રાખવાની નથી. કરીને છૂટી જવાનું છે. સેવા કરીને સુખને કે સ્વર્ગને શોધવાનું નથી. નમ્ર ભાવે કર્તવ્ય નિભાવવાનું છે. આમાં કશી અપેક્ષા ન રહે ત્યારે તે અંતરદીપ બને છે આમાં કશું મળશે નહીં પણ કર્મો છૂટશે. અંતરતપનું ચોથું ચરણ છે સ્વાધ્યાય. તેનો અર્થ છે શાસ્ત્રોનું, ધર્મગ્રંથોનું પઠન, અધ્યયન અને મનન, પણ અર્થ આટલો સીમિત નથી. સ્વાધ્યાય એટલે સ્વયંનું અધ્યયન. બેહોશીમાંથી જાગૃતિ તરફનું કદમ. અંતરમાં ઊતરવાની પ્રક્રિયા. અધ્યયન સાથે આચરણ. આનાથી જે સમજ ઊભી થાય તેને અંતરમાં ઉતારવાની પ્રક્રિયા. સમગ્ર ચેતના જે બહાર વહી રહી છે તેને અંદર તરફ વાળવી. ધર્મને સાચા અર્થમાં જાણવો અને સમજવો અને જાતનું નિરીક્ષણ કરતા રહેવાનું કે આપણામાં કશો ફરક પડ્યો છે કે ? પોથીમાંના રીંગણા જેવું તો નથીને ? સ્વાધ્યાય એટલે સતત જાગૃતિ.

અંતરતપનું પાંચમું ચરણ છે ધ્યાન. જૈન શાસ્ત્રમાં ચાર પ્રકારના ધ્યાન કહ્યા છે. આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધ્યાનનો ગર્ભીત અર્થ છે આપણી અંદર રહેલી ચેતનાને સહી માર્ગે વાળવી અને સ્વભાવમાં સ્થિર થવું. મનને બહાર ભટકવા દેવું નહીં. ધ્યાન કોઇના પ્રત્યે કરવાનું નથી. ધ્યાન બીજામાંથી ઉઠાવી લઇને પોતાનામાં સ્થિર કરવાનું છે. ભગવાન મહાવીરે તેનેે ‘સામાયિક’ નામ આપ્યું છે. આત્મા પ્રત્યે લીન બનવું તેનું નામ સામાયિક. શરીર અને મન બંને યાત્રા કરે છે. શરીર સ્થાનમાં અને મન સમયમાં યાત્રા કરે છે. ચેતનાની ગતિ સમય છે. મહાવીર ભગવાને ચેતનાને સમય કહ્યો છે અને ધ્યાનને સામાયિક. શરીરની સારી ગતિ અટકી જાય તેનું નામ આસન અને મનની સારી ગતિ અટકી જાય તેનું નામ ધ્યાન.

અંતરતપનું છેલ્લું ચરણ છે કાર્યોત્સર્ગ. કાર્યોત્સર્ગ એટલે શરીરથી છૂટી જવું. મૃત્યુનો સાહજિકતાથી સ્વીકાર કરવો. કાર્યોત્સર્ગ એટલે શરીરને છોડવાની ક્ષમતા. કાયાથી દૂર થઇ જવાની તૈયારી. હું શરીર નથી એવું જ્ઞાન અને હું આત્મા છું એવો બોધ એનું નામ કાર્યોત્સર્ગ. શરીર અને ચેતનાને જોડનારી મનની કડીને તોડવી એનું નામ કાર્યોત્સર્ગ.

આ બાર તપો કર્મોનો ક્ષય કરે છે અને તેને દૂર કરે છે. નિર્જરા ભાવનાનું ચિંતન મુક્તિ માટેનો માર્ગ ચિંધે છે

(હવે પછીની લોકભાવના)

Monday, April 4, 2016

સંવર ભાવના - મહેન્દ્ર પુનાતર

ઈન્દ્રિયો બહારના અને ભીતરના જગતને જોડવાનો સેતુ
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


સંસારના મહાસાગરમાં બાર ભાવનાઓ દીવાદાંડીરૂપ છે, જે આપણને મુક્તિના માર્ગે જવાનો રાહ ચીંધે છે. આ ભાવનાઓનું સતત ચિંતન અને મનન નવી દૃષ્ટિ આપે છે અને જીવનમાં પરિવર્તન લાવે છે. આપણે સૌ મોહ-માયાનાં બંધનોમાં જકડાયેલા છીએ. આ બંધનમાંથી મુક્ત થવાનું એટલું સરળ નથી. પણ સાચી સમજ જો ઊભી થાય તો સાપની કાંચળીની જેમ આ બધા આવરણો એની મેળે દૂર થશે. આપણે બિનજરૂરી ભાર ઊંચકીને ફરી રહ્યા છીએ. મનથી મુક્ત થઈ જઈએ તો પણ રસ્તો મળી રહે. આ બાર ભાવનામાં જીવન જીવવાનો, સુખ અને શાંતિથી રહેવાનો ભગવાન મહાવીરે બતાવેલો માર્ગ છે. આમાં ધર્મ સાથે જીવન જોડાયેલું છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જાણ્યું કે માણસ ગમે તેટલો શક્તિશાળી અને તાકાતવર હોય પણ કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિથી આપણે બંધાયેલા છીએ. એકત્વ ભાવનાનો બોધ એ છે કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું નથી. અન્યત્વ ભાવનામાં એ સંદેશો મળ્યો કે અહીં આપણું પોતાનું નથી અશુચિ ભાવનામાં એ સત્ય સમજાયું કે કોઈ પણ વસ્તુ ગમે તેટલી સુંદર અને આકર્ષક હોય પણ આ ચમક લાંબો સમય ટકતી નથી. રૂપ અને ધનનું અભિમાન નકામું છે. બધું ર્જીણ થવાનું છે અને હાથમાંથી છટકવાનું છે. જે વસ્તુ આજે જેવી છે તેવી કાલે રહેવાની નથી. આસ્ત્રવ ભાવનામાં એ પ્રકાશ પડ્યો કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મો બંધાય છે અને કર્મો બધાને ભોગવવાં પડે છે. હવે આપણે સંવર ભાવના અંગે જાણવા પ્રયાસ કરીશું.

સંવરનો અર્થ છે બાહ્ય પ્રવૃત્તિમાંથી પરાવૃત થઈ આત્માભિમુખ થવું તે અને બીજો અર્થ છે સમેટવું, રોકવું, નિગ્રહ કરવો. આ ભાવનાના ચિંતનમાં આપણે બે બાજુઓનો ખ્યાલ રાખવાનો છે. એક સાંસારિક પ્રવૃત્તિ અને જીવનની આપાધાપીમાંથી ધીરે ધીરે મુક્ત થઈને આત્મા તરફ વળવાનું છે. બહારનું જગત છોડીને ભીતરમાં પ્રવેશ કરવાનો છે અને બીજું કર્મોને આવતા રોકી શકાય તે માટેની સાધનામાં, આરાધનામાં લીન બનવાનું છે.

આપણે અગાઉ જોયું કે ઈન્દ્રિયોને વશ રાખવાથી અને તેના પર વિજય મેળવવાથી કર્મોને આવતા રોકી શકાય છે. ઈન્દ્રિયો દ્વારા જ કર્મો બંધાય છે. મૂળ વાત એ છે કે ઈન્દ્રિયો પર અંકુશ કઈ રીતે મેળવી શકાય? ઈન્દ્રિયો સામે લડવાનું નથી, પણ તેનાથી ઉપર ઉઠવાનું છે. દરેક ઈન્દ્રિય સાથે મન જોડાયેલું છે. મનના કારણે રસવૃત્તિ વધે છે. માત્ર ભોજનના ત્યાગથી રસનો પરિત્યાગ નહીં થાય અને તેમાં પરાણે કરવાનું હશે કે મન વગર દમનથી કરવાનું હશે તો કદાચ પહેલા કરતાં રસવૃત્તિ વધશે. અકસર એવું બને છે જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે જ ભોજનનો વધુ ખ્યાલ આવે છે. જે કાંઈ નથી કરવાનું તેની વારેવારે યાદ આવે છે. વિપરીતમાં વધુ રસ અને આકર્ષણ હોય છે. માત્ર ભોજનનો નહીં, પરંતુ તેના રસનો પણ ત્યાગ કરવાનો છે.

આવી જ રીતે માત્ર આંખો બંધ રાખવાથી અર્થ સરવાનો નથી. માણસ બંધ આંખે પણ ઘણું ન જોવાનું જોઈ શકે છે અને તેનો આનંદ માણી શકે છે. આપણે મન અને કલ્પના દ્વારા વિચારના ઘોડાઓ દોડાવીએ છીએ અને ઘણું બધું જે હકીકતમાં આપણે જોઈ શકતા નથી તે જોઈએ છીએ. કાન બંધ રાખવાથી ન સાંભળવા જેવી વાત સંભળાવાની નથી એવું નથી. મન દ્વારા પણ ઘણું ઈચ્છિત સાંભળી શકાય છે અને મનના રંગો પૂરી શકાય છે. મન દ્વારા સ્પર્શનો પણ અનુભવ કરી શકાય છે. બધી ઈન્દ્રિયોની બાબતમાં આવું છે તેના પર દમન કરીને કે પડદો લગાવીને તેને આપણે રોકી શકીશું નહીં. જ્યાં સુધી અંદરનો રસ ખતમ નહીં થાય અને જ્યાં સુધી મન જોડાયેલું હશે ત્યાં સુધી તેને અટકાવી શકાશે નહીં. મન વિપરીતમાં રસ લેતું હોય છે. તમે તેને કહો કે આ નથી કરવાનું તો તેને તેમાં વધુ રસ જાગે છે. કોઈ આપણને કહે કે આ વસ્તુ ખાવાની નથી તેની બાધા લઈ લો તો આકરું થઈ પડશે. અમસ્તા તો આપણે ભાગ્યે જ એ વસ્તુ ખાતા હોઈએ પરંતુ એ વસ્તુ પર નિષેધ થયો એટલે એમાં અચાનક રસ જાગૃત થશે. ઈન્દ્રિયોને વશમાં રાખવા માટે હઠ, આગ્રહ, દમન કામ નહીં આવે. માત્ર સંયમ, જ્ઞાન અને સમજ દ્વારા આ સિદ્ધ થઈ શકશે.

દરેક ઈન્દ્રિયો આપણને કોઈ ને કોઈ વસ્તુ સાથે જોડે છે તે કનેક્ટિંગ લિંક્સ છે. તે જોડવાનો સેતુ છે. આંખની ઈન્દ્રિય દૃશ્ય સાથે જોડે છે. કાનની ઈન્દ્રિય ધ્વનિ સાથે જોડે છે. જે ઈન્દ્રિયો બહારના જગત સાથે જોડે છે તે ભીતરના જગત સાથે પણ માણસને જોડી શકે છે. દરેક ઈન્દ્રિય ભીતરમાં ઊતરવાનું દ્વાર છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સંયમ અને તપ દ્વારા ઈન્દ્રિયોને યોગ્ય માર્ગે વાળી શકાય છે.

ઈન્દ્રિયો પર અંકુશ મેળવવાનો એક સરળ રસ્તો એ છે કે આપણે એ જાણવું જોઈએ કે આપણી સૌથી મોટી કમજોરી કઈ છે. કઈ ઈન્દ્રિયને આપણે વધુ પડતા વશ છીએ. આપણે આપણી આ નબળાઈને બરાબર સમજીએ તો વિધાયક સંયમ દ્વારા આ કમજોરીને શક્તિમાં રૂપાંતરિત કરી શકીએ. મોટું નિશાન સર કર્યા પછી બીજા નાનાં નિશાનોને સર કરવાનું સહેલુ થઈ પડશે. એટલે આપણને જેમાં સૌથી વધુ રસ હોય તેને સંયમ દ્વારા સમજપૂર્વક નિયંત્રિત કરીએ તો એક અનોખી ઊર્જા ઊભી થશે અને આ ઊર્જા સંયમના માર્ગે જવામાં સહાયભૂત થશે. રસ્તો એક જ છે પણ દિશા બદલાઈ જાય છે. જે વૃત્તિઓ બહાર ભટકે છે તે ભીતરમાં શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. બહાર જવાનું અને અંદર જવાનું દ્વાર એક જ છે. જે દ્વાર આપણને બહાર લઈ જાય છે તે અંદર જવા માટે પણ કામમાં લઈ શકાય છે. બહુ બહાર ચાલી ગયા પછી હવે પાછા ફરવાનું છે. ઈન્દ્રિયો આપણને બહારથી પદાર્થ સાથે જોડે છે અને અંદરથી ચેતના સાથે જોડે છે. શરીર પદાર્થ છે અને સંકલ્પ ચેતના.

એક ઈન્દ્રિય બીજી ઈન્દ્રિયનું અનુસરણ કરે છે. એક ઈન્દ્રિય ઠીક દિશામાં જતી હશે તો બધી ઈન્દ્રિયો તે તરફ વળશે. એક ઈન્દ્રિય સંયમ તરફ વળશે તો બાકીની બધી ઈન્દ્રિયો અસંયમ તરફ જવામાં અસમર્થ બની જશે. જે શ્રેષ્ઠ હોય છે તે હંમેશા શક્તિશાળી હોય છે અને તે બીજાને આકર્ષે છે. એક દીવો પ્રગટશે તો બધા દીવાઓ પ્રગટી જશે. જે ઈન્દ્રિય વધુ શક્તિશાળી હોય અને જેનાથી આપણે પરેશાન હોઈએ તેનાથી આ અંગે શરૂઆત કરવી પડશે. ભોજનમાં વધુ રસ હોય તો ઉપવાસથી શરૂઆત કરવી પડશે. વધુ પડતો લોભ અને પરિગ્રહ હોય તો ત્યાગ અને અપરિગ્રહથી શરૂઆત કરવી પડશે. વધુ પડતી વાસના હોય તો તે અંગેના સંયમથી શરૂઆત કરવી પડશે અને ધીરે ધીરે સમજપૂર્વક આમાંથી મુક્ત થવાનું રહેશે. આપણે આપણી નબળી કડીને શોધી લેવી જોઈએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આપણું સમગ્ર જીવન આપણા મનનું પરિણામ છે. આપણે ક્રોધથી છુટકારો મેળવવા માગીએ છીએ. રાગ-દ્વેષ અને મોહ દૂર કરવા ઈચ્છીએ છીએ, પણ તેને ભૂલી શકતા નથી એટલે સતત તે વસ્તુ આપણા મનમાં રહે છે. ખોટાને તોડવા અને દૂર કરવાની ઉતાવળ કરતા સાચાને પકડવાની કોશિશ કરવી જોઈએ. સાચું પકડાઈ જશે તો ખોટું એની મેળે દૂર થઈ જશે. સંસાર પ્રત્યે વિરક્ત બનવાની સાથે પરમાત્માને પામવાની કોશિશ થવી જોઈએ. ત્યાગની સાથે રાગની પકડ ઢીલી થવી જોઈએ. મનમાંથી મોહ દૂર ન થાય તો ત્યાગ વ્યર્થ બની જશે. મન જો ત્યાગી બની ગયું તો સંસારમાં રહેવા છતાં તમે સાધુ છો. ક્રોધ અને શાંતિ, પ્રેમ અને ઘૃણા, રાગ અને દ્વેષ, વાસના અને સંયમ, સારું અને ખરાબ બંને એકસાથે રહી શકે નહીં. કોઈ એકમાં શક્તિ કામે લાગે છે ત્યારે બીજામાં વિસર્જિત થાય છે. બેમાંથી એકને છોડવું પડે. સારું સ્વીકારીએ તો નઠારું છૂટી જશે. એક સદ્ગુણ આવી ગયો તો બીજા સદ્ગુણો આવવા શરૂ થશે. જે વસ્તુ પ્રબળ હશે તે બીજી નબળી વસ્તુઓને હટાવી દેશે. સાધના માટે ભીતરમાં ઊતરવા માટે શરીરશુદ્ધિની જેમ મનશુદ્ધિ પણ જરૂરી છે. મનની વ્યાકૂળતાનું કારણ મનની અંદર રહેલા વિકારો છે.

પ્રભુ મહાવીરે કહ્યું છે કે શત્રુ બહાર નથી. બહારના શત્રુઓથી ડરવાની જરૂર નથી. જે કોઈ ભયભીત થવા જેવું છે તે અંદર છે. આપણી વાસના અને વિકાર જ આપણા શત્રુઓ છે. સંવર ભાવનાનું ચિંતન આપણને આત્માભિમુખ બનાવે છે અને કર્મોને આવતા અટકાવવા માટેની શક્તિ ઊભી કરે છે.

(હવે પછી નિર્જરા ભાવના)