| જીવનમાં સંપૂર્ણતા માટે નહીં શ્રેષ્ઠતા માટે કોશિશ કરવી જોઈએ | |||
| સુખનો પાસવર્ડ - આશુ પટેલ હમણાં ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન’ પુસ્તક હાથમાં આવ્યું. એ પુસ્તકના લેખક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને નાની નાની સલાહ આપતી ડાયરી લખી હતી. પુત્રને આપેલી સલાહો પરથી એમને પુસ્તક તૈૈયાર કરવાનો વિચાર આવ્યો. આ પુસ્તક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને જ અર્પણ કર્યું છે. જેક્સન બ્રાઉને બહુ સરળ શબ્દોમાં પુત્રને શીખામણો આપી છે. આજના સમયમાં પિતા-પુત્ર વચ્ચે સંવાદ ઘટતો જાય છે. ત્યારે જેક્સન બ્રાઉનના પુસ્તકની કેટલીક સલાહ વાંચવા જેવી છે. * જીવનમાં કંઈ પણ કરે ત્યારે સંપૂર્ણતા માટે નહીં, શ્રેષ્ઠતા માટે કોશિશ કરજે. * પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એનું કામ બિલકુલ નજીવું લાગતું હોય. * એવી રીતે જીવજે કે તારા પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે તેઓ તને યાદ કરે. * વિચારો મોટા કરજે, પણ નાના-નાના આનંદ માણી લેજે. * ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની કોશિશ કરજે. * જેમને એ વાતની ક્યારેય જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારું કરવાની આદત કેળવતો રહેજે. * બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. બીજા લોકોને એમનું મહત્ત્વ ભાસે એવું કરવાની તક શોધતો રહેજે. * તારા કુટુંબને તું કેટલો પ્રેમ કરે છે એ દરરોજ શબ્દો વડે, સ્પર્શ વડે અને તારી વિચારશીલતા વડે દર્શાવતો રહેજે. * હારમાં ખેલદિલી બતાવજે, જીતમાં ખેલદિલી બતાવજે. કોઈની પણ પ્રશંસા જાહેરમાં કરજે પણ ટીકા ખાનગીમાં કરજે. * તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે, ભલે પછી એ નાનકડું ફુલ હોય. * આપણાથી સહેજ જેટલું થઈ શકે એમ છે એવું લાગે માટે કશું જ નહીં કરવું એમ નહીં રાખતો. જે થોડુંક પણ તારાથી થઈ શકે એ કરજે જ. * કોઈ પણ વિશે ક્યારેય આશા સમૂળગી છોડી દેતો નહીં. ચમત્કારો દરરોજ બનતા હોય છે. * તુચ્છ લાગે છે એને પારખી લેતા અને પછી અવગણતા આવડવું જોઈએ
|
Showing posts with label આશુ પટેલ. Show all posts
Showing posts with label આશુ પટેલ. Show all posts
Saturday, May 4, 2013
પુત્રને નાની નાની સલાહ - આશુ પટેલ
Friday, April 12, 2013
ચાણક્ય નીતિમાંથી - આશુ પટેલ
| |||
| *
રાજ્ય ન રહે તો સારું પણ કુરાજ રહે તે સારું નથી. એ જ રીતે મિત્ર ન હોય તો
વાંધો નહીં, પણ દુષ્ટ મિત્ર હોવો ખરાબ છે. શિષ્ય ન હોય તો વાંધો નહીં પણ
જેની નિંદા થતી હોય એવો શિષ્ય ન હોય એ જ સારું છે. સ્ત્રી (પત્ની) ન રહે તો
સારું પણ દુષ્ટ પત્નીનો સહવાસ સારો નથી. * આતુર થઈએ ત્યારે, દુકાળના સમયમાં દુશ્મનો ત્રાટકે ત્યારે, રાજ્યની સામે જવાનું થાય ત્યારે અને સ્મશાનમાં પણ જે સાથે રહે તે બંધુ કહેવાય. * મનની વિચારેલી વાત જાહેર ન કરવી જોઈએ, પરંતુ મંત્રણા દ્વારા ગુપ્ત રાખવી જોઈએ અને છૂપી રીતે યોગ્ય સમય આવે ત્યારે એ યોજના અમલમાં મૂકવાથી એ યોજના સફળ નીવડે છે. * પોતાનો સમય કેવો છે, પોતાનો મિત્ર કોણ છે, પોતાનો દેશ કેવો છે એના ઉપર માણસે ધ્યાન રાખવું જોઈએ. લાભ અને નુકસાન સતત ચકાસવા જોઈએ અને પોતાનામાં શક્તિ છે એવું સતત માનવું જોઈએ. * જે મનુષ્ય ખરાબ આચરણવાળો હોય, વ્યભિચારી હોય, ખરાબ સ્થાનમાં રહેનારો હોય અને દુર્જનોની દોસ્તી રાખતો હોય એનો અકાળે નાશ થાય છે. * અભ્યાસથી વિદ્યાની, સુશીલતાથી કુળની, ગુણથી સારા માણસની અને આંખથી ક્રોધની ખબર પડે છે. * આળસથી વિદ્યા, બીજના અભાવથી ખેતી, બીજાના હાથમાં પડવાથી ધન અને સેનાપતિ વિના સૈન્ય નાશ પામે છે. * કામ-ધંધો કરવાથી ગરીબી રહેતી નથી, મૌન રહેવાથી કજિયો નથી થતો અને જાગૃત માણસ પાસે ભય નથી રહેતો. * દુર્જન અને સાપમાંથી એકની પસંદગી કરવાની હોય તો સાપ સારો. કારણ કે સાપ તો કાળ (એટલે કે મોત) આવે ત્યારે કરડે છે. પણ દુર્જન ડગલે ને પગલે ડંસતો રહે છે. * દયા વિનાના ધર્મનો ત્યાગ કરવો જોઈએ, વિદ્યાહીન ગુરુને છોડી દેવા જોઈએ, ક્રોધી સ્ત્રીની સોબત છોડી દેવી જોઈએ અને જ્યાં પ્રેમબંધન ન હોય એવા ભાઈઓનો ત્યાગ કરવો જોઈએ. * મેઘજળ સમાન ઉત્તમ અન્ય કોઈ જળ નથી, પોતાના બળ સમાન બીજું કોઈ બળ નથી, નેત્ર સમાન કોઈ તેજ નથી અને અન્ન સમાન બીજી કોઈ પ્રિય ચીજ નથી. |
Subscribe to:
Posts (Atom)